1.
સંયુક્ત પ્રયત્નોથી જ સારા કાર્યો થઇ શકે.
2.
સારા મિત્રો હીરાની જેમ કીમતી અને દુર્લભ છે.
3.
સ્વાર્થી માણસ સિકંદર બની શકે, સમંદર નહિ.
4.
એક પૂર્ણ શિક્ષક એટલે હરતીફરતી લાઈબ્રેરી.
5.
પ્રાર્થના યાચના નથી, આત્માની ઝંખના છે.
6.
ક્રોધ એ શક્તિ નથી, શક્તિનો બગાડ છે.
7.
વાણી કે વર્તનથી કોઈને ઈજા કરશો નહીં.
8.
કેળવણી એટલે પૂર્ણ જીવન માટેની તાલીમ.
9.
વાંસળીને વાગતા પહેલા વીંધાવું પડે છે.
10.
અસભ્યતા પણ એક પ્રકારની હિંસા છે.
11.
જે મુક્તિ અપાવે તે વિદ્યા.
12.
મનુષ્યની કીમત તેના વ્યવહારથી અંકાય છે.
13.
અમારે યુદ્ધ નહિ, બુદ્ધ જોઈએ છે.
14.
બાળક એ પ્રભુનો પયગમ્બર છે.
15.
હક્ક ભોગવવાનો આગ્રહ રાખતા પહેલા ફરજ બજાવતા શીખો.
16.
તું નિષ્ઠાથી કામ કર, સફળતા દોડી આવશે.
17.
શ્રદ્ધા વગરનું કોઇપણ કાર્ય ભારરૂપ લાગે.
18.
શિક્ષણને કારણે પ્રજાને માર્ગદર્શન મળે છે.
19.
ક્ષમા કરનાર મનુષ્ય જ ક્ષમાને પાત્ર બને છે.
20.
નિષ્ફળતા એટલે કોઇપણ કાર્યમાં થતો વિલંબ.
21.
નિરાશાની નિશા પછી જ આશાની ઉષા ઉગે છે.
22.
કોઈની જિંદગીના સુકાન ન બનો તો કાંઈ નહિ, પરંતુ તૂફાન તો ન જ બનશો.
23.
સંતતિ અને સંપત્તિ વચ્ચે શાંતિથી જીવવા સંમતિના માલિક બનો.
24.
જ્યાં બોલવાની આવશ્યકતા હોય ત્યાં મૌન રહેવું એ અપરાધ છે.
25.
એટલા મીઠા ન થવું કે લોકો તમને ચાવી ખાય, એટલા કડવા ન થવું કે લોકો તમને થૂંકી દે.
26.
બીજાના દોષો કહેતા ફરવું એ ખાનદાનીનો અભાવ સૂચવે છે.
27.
બુદ્ધિનો ઉપયોગ બઝારમાં,
સ્નેહનો ઉપયોગ સંસારમાં, શ્રદ્ધાનો ઉપયોગ ધર્મમાં કરવો જોઈએ.
28.
વળતરની અપેક્ષા જ નડતર બને છે.
29.
માત્ર આશંકાથી પ્રેરાઈને કોઈના ઉપર પ્રહાર ન કરવો જોઈએ.
30.
પ્રસન્નતા એ વિદ્યાર્થી જીવનની ગંગોત્રી છે.
31.
પ્રસન્નતા જ સર્વ ગુણોની માતા છે.