Blogger Widgets અરમાન: June 2013

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Thursday, June 27, 2013

ખુબ  જ ઉપયોગી બે ઔષધો : ભાંગરો ને લોધર



                                                           ભાંગરો
              સૌંદર્યની વાત આવે એટલે સૌપ્રથમ સ્ત્રી હોય કે પુરુષ દરેક પોતાના વાળ વિષે ચિંતા વ્યક્ત કરતાં હોય છે. વાળનું સૌંદર્ય જોઈને તો કવિ કાલિદાસજીએ પણ મોહ પામીને વાળ વિષે કાવ્યો લખ્યાં છે. સૌંદર્યના પૂજારી એવા તમામ રસિક કવિઓ અને લેખકો પણ વારંવાર વાળ વિષે લખે છે. આમ વાળ એ સૌંદર્ય માટે અનિવાર્ય અંગ છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ વાળના રોગોની અદ્દભૂત સારવાર બતાવી છે. વાળને લગતા જે કંઈ રોગો થાય છે તેમાં મહત્વની એક વનસ્પતિ છે, ભાંગરો. વર્તમાન સમયમાં ભાંગરાનો ખૂબ જ પ્રચાર થયો છે. તેનું કારણ છે કે વિવિધ પ્રકારના હેરઓઈલો બજારમાં ઉપલબ્ધ થયાં છે અને આ તમામ હેરઓઈલો ભાંગરો તો હોય છે, ગ્રામ્યવિસ્તારના લોકો, ખાસ કરીને મહિલાવર્ગ તો પરાપૂર્વથી ભાંગરાને એકઠો કરીને તેનું તેલ બનાવીને પોતાના વાળમાં નાંખે છે. અને તેના પરિણામે તેઓના વાળ કાળા અને ચકચકિત અને ખૂબ જ લાંબા હોય છે. અહીં આપની સમક્ષ ભાંગરાના જે સૌંદર્યવર્ધક કર્મો છે તેનું વર્ણન કરીએ છીએ.
            આમ જોવા જઈએ તો શરીરમાં તથા અનેક રોગો પર ભાંગરો કામ કરે છે. પરંતુ ભાંગરો વિશેષ પ્રકારે બેસ્ટ બ્યુટી એજન્ટ છે. તેનાં જે કંઈ નામો છે, તેનાં પરથી આપણને ખ્યાલ આવે છે કે તે હેરબ્યુટી એટલે કે વાળનું સૌંદર્ય વધારવા માટેની શ્રેષ્ઠ વનસ્પતિ છે. વાળ વધારવા માટે, વાળને રંગ આપવા માટે તથા વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે ભાંગરો શ્રેષ્ઠ વનસ્પતિ તો છે જ, સાથે સાથે યૌવનને જાળવી રાખે છે, તથા સર્વાંગ સૌંદર્ય યૌવન માટે ભાંગરો ઉપયોગી છે તે ખૂબજ ઓછા લોકો જાણે છે. ભાંગરાને ભૃંગરાજ કહેવામાં આવે છે, અને તે સ્વર્ણીકરણ કરે છે એટલે કે તે શરીરને સુવર્ણ જેવું બનાવે છે. વિવિધ પ્રકારના કુષ્ઠના રોગો, સફેદ દાગ, શીળસ, શૂદ્રરોગ જેવા ચામડીના રોગોમાં પણ ભાંગરો અતિ ઉપયોગી છે. શાસ્ત્રોમાં ભાંગરાના અનેક પ્રકારે પ્રયોગો બતાવ્યા છે.
                રસાયન પ્રયોગઃ જે માણસ ૧ મહિના સુધી સવારે ભાંગરાનો રસ ૧ તોલો દરરોજ પીવે અને માત્ર દૂધ પર જ રહે તો તે માણસનું બળ અને વીર્ય વધે છે અને તે પ્રયોગથી પુનર્યૌવન પ્રાપ્ત કરે છે. ભાંગરો રસાયન ગુણ ધરાવતો હોવાથી તેનો રસ પીવાથી ચામડી પણ મુલાયમ અને તેજસ્વી બને છે.
સફેદ વાળઃ આજકાલ નાની વયના બાળકોને સફેદ વાળની સમસ્યા વધતી જોવા મળે છે. યુવાન યુવતી અને યુવકોને તો આ સફેદ વાળની સમસ્યા તો ડગને પગલે જોવા મળે છે. દરેક વ્યક્તિઓ સફેદ વાળનો તિરસ્કાર કરતી હોય છે, અને પોતાના વાળ કાળા બને તે માટે ઉપાયોની શોધ કરતી હોય છે. શાસ્ત્રોમાં સફેદ વાળને કાળા બનાવવા માટે તો અનેક પ્રયોગો છે. તેમાં ભાંગરાનું માધ્યમ અતિ શ્રેષ્ઠ છે. જુઓ……
૧.      ભાંગરાનાં ફૂલ, જાસૂદના ફૂલ અને ઘેટીનું દૂધ આ ત્રણેયને એક સાથે ઘૂંટીને બારીક પેસ્ટ બનાવવી. ત્યારબાદ આ પેસ્ટને લોખંડના વાસણમાં મૂકી તે વાસણને જમીનમાં દાટી દેવું. સાત દિવસ પછી તે વાસણને જમીનમાંથી બહાર કાઢી તેમાં ફરીવાર ભાંગરાનો રસ નાંખીને ઘૂંટવું. આ લેપ રાત્રે વાળમાં લગાવી તેનાં ઉપર કેળનું પાન બાંધી દેવું. સવારે માથું ધોઈ લેવું. આ પ્રયોગ થોડા સમય સુધી કરવાથી વાળ કાળા થાય છે.
૨.      ભાંગરાના રસમાં જેઠીમધનું ચૂર્ણ અને દૂધ તથા તેલ મેળવીને ઉકાળવું. તેલના ટીપાં નાકમાં નાખવાથી વળિયા-પળિયા દૂર થાય છે.
        માત્રા – ભાંગરાનો રસ ૧૨૮ તોલા, જટઠીમધનું ચૂર્ણ ૪ તોલા, દૂધ ૬૪ તોલા અને તલનું તેલ ૧૬ તોલા, બધું ઉકાળતા માત્ર તેલ બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લેવું. આ તેલનાં ટીપાં નાકમાં નાંખવા.
૩.      ભાંગરાનો રસ ૧૦ ગ્રામ રોજ સવારે નરણા કોઠે પીવાથી પણ સફેદ વાળ કાળા થાય છે.
સફેદ કોઢઃ લોખંડના વાસણમાં તલનાં તેલમાં ભાંગરો શેકવો. લૂગદી જેવું થાય એટલે આ ભાંગરો ખાવો અને તેના પર બિયાંની છાલથી પકાવેલું દૂધ પીવું. આ પ્રયોગ કરવાથી સફેદ દાગ મટે છે.
માથાના ચાંદાઃ ભાંગરાનો રસ માથામાં લગાડવાથી ચાંદા મટે છે.
વાળની સુંદરતાઃ ભાંગરાનું તેન માથામાં નાખવાથી વાળ ખરતા બંધ થાય છે તથા નવા વાળ આવે છે, તથા વાળની લંબાઈ પણ વધે છે, તથા વાળ ઘટ્ટ બને છે, મુલાયમ બને છે.
ખરતા વાળઃ ભાંગરો, ત્રિફળા, ઉપલસરી, કણજીનાં બીજ, લીમડાની આંતરછાલ, કરેણના મૂળ, સફેદ ચણોઠી. દરેક ઔષધો ૨૦-૨૦ ગ્રામ લઈ તેનો પાવડર બનાવવો. આ પાવડરને ચાર લિટર ભાંગરાના રસમાં પલાળવો. બીજા દિવસે તેમાં ૧ લિટર તલનું તેલ નાખી ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય પછી તેલ ઠંડુ થયે ગાળી લેવું અને બોટલમાં ભરી લેવું. આંગળીના ટેરવા વડે આ તેલ રોજ વાળના મૂળમાં માલિશ કરવાથી ખરતા વાળ, ખોડો વગેરે દૂર થઈ નવા વાળ આવે છે, વાળ ઝાડા તથા લાંબા પણ થાય છે.
સગેદ વાળ માટે તેલઃ આમળાં, અનંતમૂળ, હરડે, જેઠીમધ, મોથ, સુગંધી વાળો, બહેડાં, મહેંદીના પાન, કેરીની ગોટલી-આ તમામનો ૨૦-૨૦ ગ્રામ પાવડર લેવો. આ પાવડરને ૨૦૦ ગ્રામ ભાંગરાનો રસ તથા ૧૦૦ ગ્રામ આમળાંના રસમાં લોખંડના વાસણમાં ૧૫ થી ૨૦ કલાક સુધી પલાળવો. ત્યારબાદ તેમાં ૧ લિટર કાળા તલનું તેલ નાખી તપેલા પર બારી કપડું બાંધી સૂર્યના તડકામાં મૂકવું. આ તપેલું ૬ થી ૮ દિવસ રાખવું. ત્યારબાદ તેમાં ભાંગરાનો રસ ૧૧/૨ લિટર, આમળાંનો રસ ૧ લિટર તથા ગળીના પાનનો રસ ૫૦૦ ગ્રામ નાખીને તેલ ઉકાળવું. તેલ પકવ થયા બાદ ઠંડુ થયા બાદ ગાળી લઈ બાટલમાં ભરી લેવું. આ તેલનું રોજ વાળમાં માલિશ કરવાથી ધીરે ધીરે સફેદ વાળ કાળા થાય છે તથા ખરબચડા વાળ સુંવાળા અને ચમકદાર બને છે.
સફેદ વાળ માટે લેપઃ ૧. ભાંગરાનું ચૂર્ણ, ત્રિફળા, કેરીની ગોટલી, અખરોટની છાલ અથવા છોડાં આ તમામ મેળવીને તેને લોખંડના વાસણમાં દહીં અથવા કાંજી સાથે પલાળીને લેપ કરવાથી ધીમે ધીમે વાળ કાળા થાય છે.
૨. ભાંગરાનું ચૂર્ણ, મેથી, સોપારી અને લોખંડના કાટનો લેપ કરવાથી પણ વાળ કાળા થાય છે.
આભ્યંતર પ્રયોગઃ (૧) ભાંગરાના પાન તથા કાળા તલ રોજ ચાવીને ખાવાથી પણ સફેદ વાળ કાળા થાય છે. (૨) દરરોજ નરણા કોઠે ૧ તોલો ભાંગરાનો રસ પીવાથી વાળ સુંદર બને છે. (૩) ભાંગરાના રસનાં ટીપાં અથવા ભાંગરા તેલના ટીપાં નાકમાં નાખવાથી પણ વાળ કાળા થાય છે. (૪) ભૃંગરાજઘન, ભૃંગરાજાસવ વગેરેનું સેવન કરવાથી પણ ખરતા વાળ કે સફેદ વાળમાં ફાયદો થાય છે.



પઠાણી લોધર

             કેટલીક વનસ્પતિની આગવી ઓળખાણ હોય છે, આવી વનસ્પતિ આપોઆપ ઓળખાઈ જાય છે. જેમ કે લોધર નામનું જે વૃક્ષ થાય છે, તેના સફેદ પડતા પીળાં ફૂલ ૨ થી ૪ ઈંચ લાંબા દંડ પર આવે છે, અને આ પુષ્પ અને દંડ સુગંધી અને અતિ સુંદર હોય છે. પુષ્પ સહિત સુગંધી દંડને જોતા જ ખ્યાલ આવે છે કે આ લોધરનું વૃક્ષ છે. સામાન્ય રીતે લોધર ઘણાં રોગોમાં અતિ ઉપયોગી સિધ્ધી થયેલ છે. આપણે તો અહીં સૌંદર્ય વિષયક જ વાત કરવાની છે. સૌંદર્યપ્રાપ્તિ માટે ખાસ કરીને લોધરની છાલ વાપરવામાં આવે છે, તે શરીરના અનેક તંત્રો પર અનેક રોગોમાં કાર્ય કરે છે. પરંતુ સૌંદર્ય માટે તેના ઉપયોગો જોઈએ તો તે કુષ્ઠઘ્ન એટલે કે કોઢને મટાડે છે, તથા ચામડીના અનેક રોગોમાં ઉપયોગી છે. ખાસ કરીને ચામડીનો રંગ સુધારવા માટે તે ફાયદાકારક છે. આંખની આજુબાજુના કાળા, કુંડાળાં, ચામડી પરના કાળા ડાઘ (હાયપર પિગમેન્ટેશન) વગેરેને મટાડવામાં ખૂબ ઉપયોગી છે. લોધર તુરું અને શીતળ હોવાથી ખીલ તથા ખીલના ડાઘ અને ખીલથી થતા ખાડા વગેરે મટાડવા માટે ઉપયોગી છે.
ખીલ
(૧)    લોધર, ઘોડાધ્વજ, ધાણા, અને ઉપલેટનું સમભાગ ચૂર્ણ બનાવી પાણી અથવા કોથમીરના રસમાં ઘૂંટીને તેનો લેપ ખીલ ઉપર કરવાથી ખીલ મટે છે.
(૨)    લોધર, કપૂરકાચલી, ઘોડાધ્વજ, ચંદન તથા લીમડાની છાલ અથવા લીમડાના પાન-આ તમામને પાણીમાં નાખી ગરમ કરવું. વાસણમાંથી જે વરાળ નીકળે તે વરાળનો શેક ખીલ પર કરવાથી પરુવાળા ખીલ તથા કાચા ખીલ મટે છે.
(૩)    ખીલમાં ચાંદા પડી ગયા હોય તો તુંબડીના પાન અને લોધરની છાલનું ચૂર્ણ સમભાગ લઈ પાણી સાથે લેપ કરવો.
કાળા દાગ+કાળા કુંડાળાઃ
(૧)    લોધર, મજીઠ, લાલચંદન, સરસવ, મસૂરની દાળ તથા હળદરનો પાવડર બનાવી ગુલાબ જળ કે પાણી સાથે લેપ કરવાથી કાળા દાગ તથા કુંડાળાં વગેરે મટી જાય છે અને ચામડી ગોરી અને સુંવાળી બને છે.
(૨)    લોધર, કપૂરકાચલી, મજીઠ, લાલચંદન અને લાખને તલના તેલમાં ઉકાળી લેવું.  તેલથી દરરોજ માલિશ કરવાથી કાળા દાગ દૂર થઈ ત્વચા ગોરી તથા મુલાયમ બને છે તથા શિયાળામાં ચામડી ફાટતી નથી.
(૩) લોધરના ઉકાળાથી મોં તથા આંખો ધોવાથી કે મોં પર ઉકાળો છાંટવાથી મુખ પર થતી ઝાંય, કાળા દાગ, આંખની આસપાસ થતાં કુંડાળાં, ફોલ્લીઓ વગેરે મટે છે.
(૪)    લોધરની છાલનું ચૂર્ણ ઘીમાં સહેજ શેકી પાણી સાથે તેનો આંખની આસપાસ જાડો લેપ કરવો. આ પ્રકારના લેપને બિડાલક કહે છે. સામાન્ય ભાષામાં બિલાડો કરવો કહેવાય છે. આ બિલાડાથી કુંડાળાં મટે છે.
ખીલ અને શીતળાના ખાડાઃ લોધર, વરિયાળી અને ફૂલાવેલી ફટકડીનો પાવડર પાણી સાથે ઘૂંટીને ખીલના કે શીતળાના ખાડા પર કે ત્વચાજન્ય કોઈ પણ નિશાન પર લેપ કરવામાં આવે તો ધીમે ધીમે ખાડા મટી જાય છે, નિશાન જતાં રહે છે.
પરસેવાની દુર્ગંધઃ
(૧)    લોધર, અગર, જટામાંસી, કમળ, સુગંધી વાળો, કપૂર, જાંબુના પાનનો પાવડર બનાવી ચણાના લોટ સાથે મેળવી લેવો. આ પાવડરને શરીર પર ઘસીને કે ચોળીને નહાવાથી શરીરની ચિકાશ દૂર થાય છે, અને શરીર સુગંધિત બને છે.
(૨)    લોધર, મજીઠ, ગોદંતીભસ્મ, દારૂહળદર, લાલ ચંદન, સફેદ ચંદન તથા શંખજીરૂ મેળવી તેનો બારીક પાવડર બનાવવો. ટેલ્કમ પાવડર બનાવવો. આ ટેલ્કમ પાવડરથી ખીલ, અળાઈ, પરસેવાની દુર્ગંધ વગેરે મટે છે, તથા ચામડીના દાગ પણ દૂર થાય છે.