Blogger Widgets અરમાન: December 2012

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, December 24, 2012

ધોરણ - 8  સામાજિક વિજ્ઞાન  વિષયના બીજા સત્રના પ્રતિનિધિરૂપ હેતુઓ:---
  1. વિદ્યાર્થીઓ  19 મી સદીના ભારતમાં સામાજિક અને ધાર્મિક પરિવર્તન લાવનારા સમાજ સુધારકો વિશે જાણે તેમજ તેમના કાર્યોથી માહિતગાર થાય.
  2. વિદ્યાર્થીઓ  ભૂતકાળની અને હાલની ધાર્મિક તથા સામાજિક પરિસ્થિતિનો તુલનાત્મક અભ્યાસ કરી માહિતી મેળવે.
  3. વિદ્યાર્થીઓ  પર્યાવરણીય પ્રદૂષણો અને તેની અસરો જાણે તથા પ્રદૂષણ ઘટાડવાના ઉપાયોની સમજ કેળવે.
  4. વિદ્યાર્થીઓ  બ્રિટીશ શાસન સામે ભારતમાં ઉદ્ ભવેલ રાષ્ટ્રવાદ વિશે જાણકારી મેળવે.
  5. વિદ્યાર્થીઓ ભારતની સંઘ સરકારના એક અંગ તરીકે ન્યાયતંત્ર વિશે જાણકારી મેળવે. 
  6. ભારતની  વળી અદાલત અને સર્વોચ્ચ અદાલતની રચના તથા તેના કાર્યો વિશે જાણકારી મેળવે.
  7.  વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળની ક્રાંતિકારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલી વિશિષ્ટ વ્યક્તિઓ વિશે જાણે.
  8. વિદ્યાર્થીઓ  માનવ સંસાધન વિશે જાણે.
  9. વિદ્યાર્થીઓ  ગાંધીજીનું ભારતમાં આગમન અને તેમના સમયની ચળવળો વિશે જાણે.
  10. વિદ્યાર્થીઓ  વસ્તી વિસ્ફોટથી ઉદ્ ભવતી સમસ્યાઓ જેવી કે - નિરક્ષરતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ, ગરીબી, બેકારી, મોંઘવારી વગેરે સમસ્યાઓ જાણે.
  11.  વિદ્યાર્થીઓ  વસ્તી વિસ્ફોટથી ઉદ્ ભવતી સમસ્યાઓ જેવી કે - નિરક્ષરતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ, ગરીબી, બેકારી, મોંઘવારી વગેરે સમસ્યાઓને હલ કરવાના ઉપાયો જાણે.
  12. વિદ્યાર્થીઓ ભારતની અર્થવ્યવસ્થાથી માહિતગાર બને.
  13. વિદ્યાર્થીઓ ભારતમાં બ્રિટીશ શાસન સમયની સવિનય કાનૂનભંગની  ચળવળ, ગોળમેજી પરિષદો અને હિન્દ છોડો લડત વિશે જાણે.
  14. વિદ્યાર્થીઓ સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)અને તેની વિવિધ સંસ્થાઓ વિશે જાણે.
  15. વિદ્યાર્થીઓ પંચશીલના સિદ્ધાંતો જાણે અને વિશ્વબંધુત્વની ભાવના કેળવે.
  16. વિદ્યાર્થીઓ ભારતની આઝાદી અને તે સમયની સમસ્યાઓથી માહિતગાર બને.
  17. વિદ્યાર્થીઓ ભારતના રાજ્યોની પુનર્રચના, મહાગુજરાતની ચળવળ, ફ્રેંચ અને પોર્ટુગીઝ શાસનથી સ્વતંત્રતા વિશે જાણે.
  18. ભારત-પાકિસ્તાન સંબંધો  અને આજના ભારતની પરિસ્થિતિ વિશે જાણે.
  19. વિદ્યાર્થીઓ આફ્રિકા ખંડનો પરિચય મેળવે.
  20. વિદ્યાર્થીઓ એશિયા ખંડનો પરિચય મેળવે.
ધોરણ - 8  વિજ્ઞાન અને ટેકનોલોજી  વિષયના બીજા સત્રના પ્રતિનિધિરૂપ હેતુઓ:---
  1. વિદ્યાર્થીઓ ઓક્સિજન વાયુ, કાર્બનડાયોક્સાઈડ વાયુ, હાઈડ્રોજન વાયુ અને નાઈટ્રોજન વાયુ બનાવે અને તેના ભૌતિક ગુણધર્મો જાણે.
  2. વિદ્યાર્થીઓ ઓક્સિજન વાયુ, કાર્બનડાયોક્સાઈડ વાયુ, હાઈડ્રોજન વાયુ અને નાઈટ્રોજન વાયુના ઉપયોગો જાણે.
  3. વિદ્યાર્થીઓ O2, CO2, H2, અને N2 વાયુઓની બનાવટ અને તેમના રાસાયણિક ગુણધર્મોમાં આવતાં ઉપયોગી રાસાયણિક સૂત્રોની પ્રાથમિક સમજ મેળવે.
  4. વિદ્યાર્થીઓ O2, CO2, H2, અને N2 વાયુઓની બનાવટ અને તેમના રાસાયણિક ગુણધર્મોમાં આવતાં ઉપયોગી રાસાયણિક સમીકરણોની પ્રાથમિક સમજ મેળવે.
  5. વિદ્યાર્થીઓ પરમાણુરચના વિષે સામાન્ય સમજ મેળવે.
  6. વિદ્યાર્થીઓ  તત્વના પરમાણુક્રમાંક જાણી તેના પરથી તત્વના પરમાણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન અને કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી વિષે જાણે.
  7.  વિદ્યાર્થીઓ ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિષે જાણે.
  8. વિદ્યાર્થીઓ ધાતુઓ અને અધાતુઓના ભૌતિક  અને રાસાયણિક ગુણધર્મો  પરથી ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત જાતે તારવે.
  9.  વિદ્યાર્થીઓ ધાતુઓ અને અધાતુઓના ઉપયોગો વિષે જાણે.
  10. વિદ્યાર્થીઓ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વડે વસ્તુઓના પ્રતિબિંબો કેવી રીતે રચાય છે, તેની જાણકારી મેળવે
  11. વિદ્યાર્થીઓ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના ઉપયોગો જાણે.
  12. વિદ્યાર્થીઓ પ્રજનનતંત્ર અને ઉત્સર્જનતંત્રના અંગો, તેમના શરીરમાં સ્થાન અને તેમના કાર્ય વિષે જાણે.
  13. વિદ્યાર્થીઓ  જલદ દહન, મંદ દહન, સંપૂર્ણ દહન અને અપૂર્ણ દહન વિષે પ્રાથમિક સમજ મેળવે.
  14. વિદ્યાર્થીઓ  અગ્નિશામક દળ (ફાયરબ્રિગેડ) અને 108 એમ્બ્યુલન્સ સેવાની કામગીરી વિષે જાણકારી મેળવે.
  15. વિદ્યાર્થીઓ  અશ્મિબળતણ, તેના પ્રકાર અને તેમના ઉપયોગો વિષે જાણે.
  16. વિદ્યાર્થીઓ  સૌર-ઊર્જાની અગત્યતા સમજે.
  17. વિદ્યાર્થીઓ  સૌર-ઉપકરણોની રચના, કાર્યપદ્ધતિ અને ઉપયોગ વિષે જાણકારી મેળવે.
  18. વિદ્યાર્થીઓ  પ્લાસ્ટીકનો કચરો કઈ રીતે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે તે સમજે.
  19. વિદ્યાર્થીઓ  પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ કેળવવા માટે શાળા કક્ષાએ ઇકો ફ્રેન્ડલી વીકની ઉજવણી કરે.
  20. વિદ્યાર્થીઓ  ઈ-વેસ્ટ અને બાયોમેડિકલ વેસ્ટ વિષે તથા તેના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા વિષે માહિતી મેળવે.
ધોરણ - 8   ગુજરાતી વિષયના બીજા સત્રના પ્રતિનિધિરૂપ હેતુઓ:---
  1. કાવ્ય, વાર્તા, નાટક, નિબંધ, મુલાકાત અહેવાલના શબ્દાર્થ તથા વ્યંગ્યાર્થ સમજે.
  2. નારી શક્તિ, માતૃપ્રેમ, માંગલિક ચિન્હોનો મહિમા સમજે અને ગૌરવ અનુભવે.
  3. સીડી, ડીવીડી દ્વારા ગઝલ અને ગીતો સાંભળે અને તેમાંથી અર્થપૂર્ણ તારણ કાઢે.
  4. સુવિચારો, પંક્તિઓ, મિત્રપ્રેમનું મહત્વ સમજે અને વર્ગમાં ચર્ચા કરે.
  5. શબ્દના અર્થ, તળપદા શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, સંધિ, સમાસ, અલંકાર, છંદ અંગેનું જ્ઞાન મેળવે.
  6. શબ્દકોશ દ્વારા અનેક શબ્દોના વિવિધ અર્થોની જાણકારી મેળવે.
  7. દુહા-મુક્તક-ચોપાઈ-હાઇકુ અને અન્ય ગેયકાવ્યોનું ભાવવાહી સ્વરે ગાન કરતાં શીખે અને ઉચ્ચારશુદ્ધિ પર ધ્યાન આપે.
  8. એકાંકી સંવાદો તેમજ પ્રાદેશિક વાર્તામાં અને નવલકથા-ખંડમાં આવતા સંવાદોને અલગ તારવે તથા એમાં પ્રગટ થયેલી લાગણીઓ, મૂંઝવણો અને વિચારોને અભિનય સાથે અસરકારક રીતે રજૂ કરતાં શીખે.
  9. પ્રાદેશિક વાર્તાઓ, એકાંકી કે નવલકથાના નાટ્યાત્મક અંશોનું વર્ગમાં ભાવવાહી પઠન કરતાં શીખે.
  10. વિદ્યાર્થી શિક્ષકોની મદદથી કમ્પ્યુટર પર અંગ્રેજી તથા ગુજરાતીના font સમજે અને એ font ને ટાઈપ કરતાં શીખે અને લેખ કે કોઈ પણ મેટર ટાઈપ કરી એની પ્રિન્ટ કાઢતા શીખે.
  11. સુભાષિત, કહેવત કે કાવ્યપંક્તિઓનો વિચાર વિસ્તાર કરે અને વિદ્યાર્થી પોતાની સર્જનશક્તિ કેળવે.
  12. વર્તમાનપત્ર તથા સામયિકમાં આવતા ટૂચકા અને ઉખાણાં એકઠા કરે અને વર્ગમાં રજૂ કરે.
  13. પાઠ્યપુસ્તકમાં આવતાં રૂઢીપ્રયોગો, કહેવતો, શબ્દસમૂહોની યાદી બનાવે અને સુંદર, મરોડદાર અક્ષરોમાં લખી એના ચરત તૈયાર કરી એનું પ્રદર્શન વર્ગમાં ગોઠવે.
  14. કોઈ વિશેષ કાર્યક્રમનો અહેવાલ તૈયાર કરતાં શીખે.
  15. મોબાઈલ દ્વારા ફોટા પાડતાં શીખે, મોબાઈલની અન્ય સુવિદ્યાઓની જાણકારી મેળવે.
  16. જીવનમાં સંક્લ્પોનું મહત્વ સમજે, જીવન ઉપયોગી થાય તેવા સંકલ્પો લે અને અમલમાં મુકવાના પ્રયત્ન કરે.
  17. ગીત, ગઝલ, કાવ્ય, દુહા-મુક્તક-હાઇકુ વગેરેનું ભાવવાહી ગાન કરે.
  18. કેટલાક મહાન પુરુષોની આત્મકથા કે જીવનચરિત્રો વર્ગમાં વાંચે અને તેમાંથી પ્રેરણા મેળવે.
  19. સ્વતંત્ર ભારતની ઐતિહાસિક કથા સમજે અને સ્વદેશ પ્રત્યે વફાદાર રહેવા શું કરવું એ અંગે મિત્રો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરે.
  20. વર્તમાનપત્રો અને સામયિકો વાંચતાં થાય. એમાં રોજબરોજની ઘટના અંગે આવતાં સમાચાર પર ચિંતન કરે અને વર્ગમાં સૌ પોતપોતાના વિચારોનું આદાન-પ્રદાન કરે.

Thursday, December 13, 2012

''જીન્દગી એટલે ? ''

                ''જીન્દગી એટલે ? ''

જીન્દગી ઈશ્વરની બક્ષીસ છે.             - તેને સ્વીકારો.
જીન્દગી દુ:ખમય છે.                         - તેને જીવી જાણો.
જીન્દગી કર્તવ્ય છે.                           - તેને પાળી બતાવો.
જીન્દગી કરૂણામય છે.                      - તેનો સામનો કરો.
જીન્દગી રહસ્યમય છે.                     - તેને અકબંધ રાખો.
જીન્દગી એક ગીત છે.                      - તેને ગાઓ / માણો.
જીન્દગી સંઘર્ષ છે.                           - તેનો સામનો કરી બતાવો.
જીન્દગી એક સફર છે.                     - તેને પૂર્ણ કરો.
જીન્દગી એક તક છે.                       - તેને ઝડપી લો.
જીન્દગી એક સટ્ટો છે.                      - તેને ખેલી લો.
જીન્દગી એક સાહસ છે.                  - તેને આહવાન આપો.
જીન્દગી એક કોયડો છે.                  - તેને ઉકેલી લો.
જીન્દગી એક અસ્મિતા છે.              - તેને અનુભવો.
જીન્દગી એક સુખમય છે.               - તેને માની લો.
જીન્દગી એક લક્ષ્ય છે.                   - તેને હાંસલ કરી લો.
જીન્દગી એક નાટક છે.                  - તેને ભજવી જાણો.
જીન્દગી એક સ્વપ્ન છે.                 - તેનો અનુભવ કરો.
જીન્દગી એક કિતાબ છે.                - તેને વાંચો.
જીન્દગી એક ખેલ છે.                    - તેને રમી જાણો.
જીન્દગી એક શતરંજ છે.               - તેને જીતી જાણો.
જીન્દગી એક મંદિર છે.                  - તેને શણગારો.
જીન્દગી એક પડકાર છે.               - તેની સામે બાથ ભીડો.
જીન્દગી એક મહાસાગર છે.          - તેમાં તરી બતાવો.

સંદેશ

          જગતની વિચિત્રતા એવી છે કે જયારે વિનાશની આંધી વરસે છે ત્યારે લોકો કાળને દોષ દે છે. પણ જયારે નવસર્જન થાય છે ત્યારે લોકો પોતાની શક્તિ, સંપતિ અને પોતાનું કાર્ય એ સૌને આગળ ધરે છે. પણ માનવને એટલું સમજાતું નથી કે વિનાશના સમયે પોતાની બુદ્ધિ, સંપતિ કે કાર્ય શક્તિ કોઈ કામયાબ થઈ શકતા નથી અને એક ક્ષણમાં જ તારાજી થઇ જાય છે. તેમ માનવસર્જનમાં પણ ભગવાનની જ ઈચ્છા, શક્તિ અને પ્રેરણા કાર્ય કરે છે. માનવીનો આ ઘમંડ વિનાશની આંધીને નોતરે છે. સામાન્ય બાબતોમાં પણ જોવા મળે છે કે જયારે કોઈ કાર્યમાં સફળતા મળે ત્યારે તેનો યશ પોતાની જાતને મળે તેવો પ્રયત્ન મોટાભાગના માનવી કરતાં હોય છે, પરંતુ જયારે નિષ્ફળતા મળે ત્યારે તેનો દોષ પોતાની નીચે કામ કરતાં લોકો તેમજ સંજોગો વગેરેને આપતા હોય છે. માનવી જેમ સફળતાનો યશ પોતે લેવાનું ચૂકતો નથી, તેમ નિષ્ફળતાનો દોષ પણ કબૂલતા શીખવું જરૂરી છે.